મંગળવાર, 21 જુલાઈ, 2009

ન આવ્યા…..



વહાવ્યા અમે એટલા તે આંશુ જુદાઇમા,
છતા દર્શન દેવા ન આવ્યા…..
દેખાડ્યા એટલા તે સપના કે,
બીજા ના ચહેરા પણ નજર ન આવ્યા……
કરેલો કોલ સાત જનમનો પણ,
આ જનમમા નીભાવવા ન આવ્યા……
બીજુ તો કઇ નહી પ્રિયે,
વિરહ વેદનામા પણ સાથ આપવા ન આવ્યા…
થાકી હવે આંખો પણ વેદનાથી,
તેમા હવે તો આંશુ પણ ન આવ્યા……
હેરાન થયો 'નિશિત' હવે,
વિરહની રાતમા સપના પણ ન આવ્યા……

'નીશીત જોશી'

1 ટિપ્પણી: