
એ તો નક્કી છે હવે જીવનભર આપણે નહી મળીયે,
તો પછી કહો ઈશ્વર થી ઉમર લઇ આપણે શું કરીએ?
બનીને રહશે બધી એ ક્ષણો હૃદય ની યાદો માહી,
તો પછી એ પડછાયા ને શા માટે શોધતા ફરીએ?
દરિયા ને ઉલેચી ઉલેચી નયનોમાં રાખીશું સાચવી,
તો પછી એવા ટીપે ટીપે શાને ખોબા ભરતા રહીએ?
મળ્યો'તો પ્રેમ એક આશીર્વાદ રૂપે જે કરતા રહીશું,
તો પછી એ પ્રેમ ને ઈશ્વરી અભિશાપ શાને કહીએ?
કરવા પૂર્ણ અભિલાષા મળતો હોય છે બીજો જનમ,
તો પછી હૃદય વેદના ના રોદણા શાને રોતા રહીએ?
નીશીત જોશી 14.11.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો