ગુરુવાર, 25 માર્ચ, 2010

સત્ય અને અસત્ય



સાચુ કરે તેને માથે ઇલ્જામ છે,

ખોટુ કરનારને આજે ઇનામ છે,

સાચુ બોલે તે રહે છે ભુખ્યો,

ખોટુ બોલનારને પકવાન બેફામ છે,

સત્ય પર ચાલનારને નથી એક લોટો પાણી,

પણ ખોટાઓને હાથે ભરપુર જામ છે,

સત્ય ની પરિભાષા ભુલ્યા છે લોકો,

અને અસત્ય તો આજે સરે આમ છે,

સાચુ બોલી, કરી, ન જીવાય કલયુગમા,

આવુ જ બોલનારાઓની ભરમાર ખુલેઆમ છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો