મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

આ લોકો


હરઘડી પ્રેમનો એકરાર કરે છે લોકો,
સાથ જીવનભર ક્યાં આપે છે લોકો,

કહે છે તુજ વગર નથી જીવવુ હવે,
સમય આવ્યે જીવ ક્યાં આપે છે લોકો,

મંદીર મસ્જીદ જઇ ટેકવે છે માથા,
મનથી ત્યાં પણ ધ્યાન ક્યાં આપે છે લોકો,

પ્રેમને નામે રમે છે રમતો સરેઆમ,
ખરી સમજણ પ્રેમની ક્યાં આપે છે લોકો .

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો