રવિવાર, 29 ઑગસ્ટ, 2010

શુ ભરવા પડશે પાનાઓ ???

હશે કંઇક એવી તો વ્યથા કે ઢીલ થઈ લખવામા,
લખી નાખ્યુ જેવુ તેવુ બસ આપને મનાવવામા,

માની બેઠા ઔપચારિકતા લખેલુ ફક્ત વાંચીને,
કેમ કરો છો ભુલ આ મુજ હ્રદયને ઓળખવામા,

બાંધ્યા હતા આપ સંગ સંબધો પોતાના સમજી,
ઋણાનાબંધન ન વેડફતા આમ સુર સજાવવામા,

ઉડતા રહેલા ઉંચે આભે હ્રદયે બાંધીને આપને,
ન રહ્યો કોઇ મંડળોનો ભય આપ સંગ વિહરવામા,

નથી કરતા કોઇ પ્રયાસ કોઇને પ્રભાવિત કરવા,
શબ્દો જ વણાય જાય છે કોઇને નારાજ કરવામા,

પ્રેમમા નથી રહેતો કોઇ મોલ ક્યારેક શબ્દોનો ,
પ્રેમ તો બરકરાર છે એ બે લીટીના લખવામા,

ખરો પ્રેમ નથી થતો બોજીલ કોઇ પર ક્યારેય,
શુ શબ્દોથી જ ભરવા પડશે પાનાઓ મનાવવામા?


નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો