શનિવાર, 8 મે, 2010

અંજામ કેવો હશે કેમ કહીયે અમે

અંજામ કેવો હશે કેમ કહીયે અમે,
પ્રેમપથ પર પગલા માંડ્યા અમે;

ન હતી કોઇ હાર કે ન હતી જીત,
અજાણ્યા હતા ઇનામથી અમે;

પથ પર બીછાવેલી કાલીન કાંટાઓની,
ફુલ સમજી ચાલી નીકળ્યા અમે;

બોલે જે બોલ તે બની જતી ગઝલ,
ફક્ત ઇર્સાદ ઇર્સાદ કરતા હતા અમે;

ભુલવા ઇચ્છો પણ ન થાય ઇચ્છા પુરી,
સ્વાસો સ્વાસમા જ્યારે વસાવ્યા અમે;

તસ્વીર તો હતુ એક બહાનુ યાદનુ,
આયનામા પણ તેને જ નીહાળીયે અમે;

ઝેર પણ નહી લાવી શકે મોત,
પી પી ને રીઢા થઈ ગયા છીએ અમે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો