બુધવાર, 12 જાન્યુઆરી, 2011

આંસુ

ઘણા હોય છે ખુશીના આંસુ,
ઘણા હોય છે દુઃખના આંસુ,
હોય ભાવવિભોર તો વહે આંસુ,
મનની ખ્લિનતાથી વહે આંસુ,
કુદરતની મોટી દેન આ આંસુ,
અભિવ્યક્ત કરતા આ આંસુ,
અભિલાશા પુર્ણ થતા વહે આંસુ,
અપુર્ણતા માં પણ આ વહે આંસુ,
વિરહની વેદનામા વહે એ આંસુ,
મિલનના સમયે પણ વહે એ આંસુ,
આંખોનુ અનમોલ રતન આંસુ,
લાગણીઓ થી થતુ જતન આંસુ........
.....આંસુની કદર કરનાર જ સાચો માનવ.....
નીશીત ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો