શનિવાર, 13 ઑક્ટોબર, 2012

હવે નજીક ઇશ્વરના ઘરની ડેલી છે

આ જીવન માં ઘણી અધુરી વાતો રહી ગયેલી છે, પુરી કેમ થાય,હવે નજીક ઇશ્વરના ઘરની ડેલી છે, જીંદગી વીતાવી નીત નવા કપડા પહેરવાના મોહે, પણ શરીરે એક ચીથરા વગર જ ચીતા સજેલી છે, સમજેલા,માનેલા જેઓને પોતાના આ દુનીયા માહી, પણ મૃત્યુએ સમજાવ્યુ આ બધાની મુરાદ મેલી છે, સમજાયુ મીથ્યા,તુક્ષ છે બધા સબંધો આ દુનીયાના, સાચી સબંધોની લાગણી ફક્ત ઇશ્વરમાં જ ભરેલી છે, તુટશે નહી,ઇશ્વર,હવે ક્યારેય સબંધો આપણી વચ્ચેના, છો આપ દૌલતના શહેનશાહ તો મુજ હાથમાં થેલી છે. નીશીત જોશી 11.10.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો