શનિવાર, 13 ઑક્ટોબર, 2012

પિતૃઓને

પિતૃઓર્ને હવે કોઇનો ત્રાસ જોઇતો નથી, કોઇ નપાવટો નો સહેવાસ જોઇતો નથી, બનાવટી મુખટે બની બેઠા છે સદાચારી, પિતૃને નામે ચરનાર દાસ જોઇતો નથી, પિતૃપક્ષમાં પુજાય છે પિતૃઓ ઇશ્વર રુપે, હયાતી પળે કહ્યુ,સાથ ખાસ જોઇતો નથી, જીવતા જીવે તો કર્યા અન્નના પણ વાંધા, નાદાનો, પિતૃને ફેકેલો વાસ જોઇતો નથી, સ્વર્ગ જેવા ઘરને પણ બનાવ્યુ નરક સમુ, પણ પિતૃઓને આવો આવાસ જોઇતો નથી. નીશીત જોશી 06.10.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો