
આકાશ ને જોનારા ધરા પર પડતા હોય છે,
દારુ ને પીનારા સડકો પર લથડતા હોય છે,
મારું તમારુંનાં શબ્દોથી પર જ રાખો સંબંધ,
સ્વાર્થી સ્વભાવે એ સંબંધો બગડતા હોય છે,
ટોચ પર પહોચવાની છે અપેક્ષા સૌને અહી,
ટકી રહેવા ટોચે એકબીજા ઝગડતા હોય છે,
શક્ય ન હોય તે, ખોટી વાતે રીઝાવે પ્રિયેને,
બહુ જુજ પ્રેમીઓ જ પ્રેમ માં મરતા હોય છે,
કોઈ પણ રચનામાં જીવ પુરાવો સહેલો નથી,
કવિઓ હૃદયે સીચેલા રુધિરે લખતા હોય છે .
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો