ગુરુવાર, 10 ડિસેમ્બર, 2009

ગુન્હેગાર છું હુ

તને જો ન વખાણુ તો ગુન્હેગાર છું હુ,
તને જો ભુલી જાવ તો ગુન્હેગાર છું હુ,
એકવાર તુ પણ મારી ભુલ ને ભુલાવ મનથી,
પછી જો તને ભુલુ તો ગુન્હેગાર છું હુ,
દુનીયાની મોહપાશથી દયાળુ છોડાવ મને,
પછી જો પાછો આવુ તો ગુન્હેગાર છું હુ,
તારા નામનો પ્યાલો પીવડાવી બેભાન તો કર,
પછી જો હોશમા આવુ તો ગુન્હેગાર છું હુ,
માની જવાના ઇરાદાથી તુ રીસાઇ ને તો રહે,
પછી જો તને ન મનાવુ તો ગુન્હેગાર છું હુ.

'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો