શનિવાર, 16 જુલાઈ, 2011

થઈ જશે


ઇશ્વરનુ નામ લઈને નીકળ્યા છો જ્યારે,
દરીયામા ઉતરી જાવ રસ્તો થઈ જશે,

એ પણ દિવસો હતા બન્ને હતા નજીક,
કોને ખબર હતી આટલા દુર થઈ જશે,

એમણે ફુંકી હતી થોડી જ હવા આગને,
શું ખબર હતી એ આગ જ્વાલા થઈ જશે,

આવડી જશે સંમ્બધો જાળવવાનો હુન્નર,
દુશ્મનો આપ મેળે ઘરે આવતા થઈ જશે,

છોડી તેની મરજીએ પછી ભેગા કરજો હાથ,
આપો આપ એ પ્રાર્થનાની અસર થઈ જશે,

મનાવવાથી થાકી ચુક્યો છું હવે હું નીશીત,
છો નારજ તો આવો સામે નીર્ણય થઈ જશે.

નીશીત જોશી 09.07.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો