મંગળવાર, 17 માર્ચ, 2009

? ? સુખ અને દુઃખ ? ?


નથી અહી કોઇ સુખ કે નથી અહી કોઇ દુઃખ
છે ફક્ત મનના સમીકરણો આ બધા સુખ અને દુઃખ
તરસ્યા ને પીવડાવો પાણી
મળે જ્યારે પાણી, તે બને તેનુ સુખ
તો શું માનો છો આ પાણી ને સુખ ?
તો પછી કહેશો, ડુબતા ને પાણી કેમ બને છે દુઃખ?
ભુખ્યા ને આપો, જમાડો ભોજન
મળે જ્યારે અન્ન, તે બને છે તેનુ સુખ
તો શું માનો છો આ અન્ન ને સુખ ?
તો પછી કહેશો, જમાડેલાને જમાડીયે તો કેમ બને છે દુઃખ?
સમજાણુ 'નિશિત' અનુકુળતા હોય તો એ છે સુખ
અને પ્રતીકુળતા જ્યારે બને તો એ છે દુઃખ
♫♥ નીશીત જોશી ♫♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો