રવિવાર, 1 માર્ચ, 2009



શું થયુ જો આજ તુ નથી,
મારા મનમા તુ તો છે,
શું થયુ જો તને મારી યાદ નથી,
મારી પાસે તારી યાદો તો છે,
શું થયુ તને આજે સમય નથી,
મારી પાસે તારી સાથે વિતાવેલી ક્ષણો તો છે,
શું થયુ તુ જો વાત ન કરે,
મારા દિલમા તારુ રટણ તો છે,
શું થયુ તને મારામા રસ નથી,
મારુ જીવન તારા રસમય તો છે,
શું થયુ જો તને મારી પીડાનો ખયાલ નથી,
તારી પીડા મારી પીડા તો છે,
શું થયુ આજ મારી પાસે 'નિશિત' કંઇ નથી,
પણ મારી પાસે ઈશ્વર તારો ભરોશો તો છે.
♫♥ નીશીત જોશી ♫♥

1 ટિપ્પણી:

  1. i like this poem...

    ફરું તો છું લઈ ને સાથે તેમની યાદોની વણજારને, કેમ કહી દઉ કે તે મારી સાથે ન હતા.

    http://dhadakankavita.blogspot.com/

    જવાબ આપોકાઢી નાખો