મંગળવાર, 5 ઑક્ટોબર, 2010

કોઇ જોતુ નથી

બીન લાગણીએ કંઇ એમજ બનતુ નથી,
કહેલી સાચી વાત કોઇ કાન ધરતુ નથી,

સ્નેહથી ચાલી નીકળે છે એ કલમ આતો,
આ હ્રદય અમથુ કાગળ પર ઉતરતુ નથી,

લોકો વાંચી ને વાહ વાહી આપી તો દે છે,
વીતે છે વ્યથા જેને,તેને કોઇ સમજતુ નથી,

વહે છે રૂધીર બની ને સાહી એ કાગળ પર,
કલમની આદત એ સાહીની તે કોઇ જોતુ નથી.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો