રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

કેટલી


કવિતાઓ, ગઝલો, લખી વાંચી છે કેટલી,
સાંભળી,વાંચીને પણ ખામોશ એ છે કેટલી,

માન્યુ એ પરી માફક છે ઉતરી જાણે અપ્સરા,
રબ જાણે એ સુંદરતાના ગુમાનમા છે કેટલી,

મયખાનામા જવા માટે તો બેતાબ છે ઘણા,
પ્યાલા ક્યાં પુછે સુરાહીને ચડેલી છે કેટલી,

મદહોશ થયે રાખે જેણે પી લીધો પ્યાલો,
નયન જામથી બેહોશને જગભાન છે કેટલી,

આ હ્રદય સર્મપીત કર્યુ સર્વસ્વ ત્યાગીને,
હારેલા દિલને અધિકારની વાત છે કેટલી,

કેવી તે અદાયગી કરો છો ઓ મારા પ્રિયે,
ભુલુ બધુ છતા તુજની યાદ આવે છે કેટલી .

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો