બુધવાર, 12 ઑગસ્ટ, 2009

ભીનાશ માટીમા આજ નથી

બધા માટીના જ બન્યા માનવી અહી
ભીનાશ માટીમા આજ નથી રહી અહી
હોત જો ભીનાશ માટીમા સ્નેહની
ન બનત આમ નીશ્ઠુર માનવી અહી
હોત જો ભીનાશ માટીમા પ્રેમની
ન બનત આમ હવસી માનવી અહી
હોત જો ભીનાશ માટીમા દયાની
ન બનત આમ ક્રુર માનવી અહીં
હોત જો ભીનાશ માટીમા માયાની
ન બનત આમ સ્વાર્થી માનવી અહીં

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો