મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

એ શું છે


કોઇને જે કામ ન આવે એ જીંદગી શું છે
ભેગા ન થાય જો હાથ એ પ્રાથના શું છે

ફક્ત વાતોથી દલીલો કરી વાત બનતી નથી
વજન જે વાતમા ન હોય તે વાત શું છે

ઉંચા આલિશાન મહેલોમા જે રહે છે લોકો
એ શું સમજે ગરીબો ની ગરીબી શું છે

અર્ધનગ્ન શરીર ખાલી પેટને મજબુર છે જે
ધ્યાનથી વિચારો એ પણ જીન્દગી શું છે

મોજ-મસ્તી માટે મિત્રો હશે હજારો પણ
ખરાસમયે જે કામ ન આવે એ મિત્રતા શું છે

અમન શાંતી ને જે જગ્યાએ સ્થાન ન હોય
ઘર નથી જ ' નિશિત' એ શહેર શું છે

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો