ગુરુવાર, 8 માર્ચ, 2012

દિલની વાત


હર કોઇને બધા જવાબ અપાય નહી,
દિલની વાત સૌ સમક્ષ રખાય નહી,

હો ભલે ને દર્દ સંઘરેલા હ્રદય માંહી,
હર કોઇની પાસે મલ્હમ મંગાય નહી,

દોસ્તો ની ભીડ માં મોજુદ છે દુશ્મનો,
ભીડે ઉભેલા સૌનો વિશ્વાષ કરાય નહી,

ડાહપણ ની વાતો કહી સમજાવે ઘણા,
પણ બધા ની વાતો કાને ધરાય નહી,

લહેરો પણ આવીને કાપે છે કિનારાને,
પાછા વળતા વહેણ 'નીર' ફંટાય નહી .

નીશીત જોશી 'નીર' 06.03.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો