
રહેવા 'દો, નથી ચાલવું એ રાહે હવે,
અજાણ્યા પથ થી કોઈ બચાવે હવે,
નીર્ધાર્યો પથ ખોવાયો ચૌરસ્તે થી,
આવેલ વિટમ્બણા કોઈ હટાવે હવે,
સાંભળેલું રળિયામણો હશે એ પથ,
ચાલતા દરેક અંગે કાંટા વાગે હવે,
રાહબર શોધવા ફાંફા મારતા રહ્યા,
એ હૈયા ને સમજાવી કહો થાકે હવે,
વિધાતાનું લખ્યું કષ્ટ પૂરું તો થશે,
ભાગ્યની રેખા ને કહી 'દો જાગે હવે.
નીશીત જોશી 24.01.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો