રવિવાર, 20 મે, 2012

ખોટી સમજત ગોપીઓને

ગર તુજને ચોરીની આદત ન હોત, તો વૃજ માં મોહન બગાવત ન હોત, માખણ ઘેરઘેરથી ચોરાવ્યા ન હોત, રોજ રોજની તુજ શીકાયત ન હોત, માખણની માટલી જો ફોડી ન હોત, ઘેરઘેર આ ચર્ચા જ ચાલી ન હોત, મજા તો કેમ મળત તુજને મોહન? શરાફત જો ગોપીઓમા ન હોત, પકડી તુજને કરી લેત કૈદ અને, નંદના દરબાર માં રજુ કર્યા હોત, કલમ ચાર સૌ સત્તાવનની લાગત, સૌગંધથી તુજ જમાનત થઇ જ ન હોત, ચીર હરવા,લુટી લેવા,આ કર્મો છે, કોને દોષ આપવા, ખોટી સમજત ગોપીઓને જો તુજમા આવી શરારત ન હોત. નીશીત જોશી 16.05.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો