
જે આવવાના નથી તેનો ઇન્તજાર શા માટે?
જે કંઈ કહેતા જ નથી તેનો આભાર શા માટે?
આંસુઓ એ સુકાઈ ને આપી દીધો છે જવાબ,
જેને હવે વહેવું જ નથી તેનો સત્કાર શા માટે?
પથ્થર પણ સહન કરીને વેદનાઓ બને મુરત,
છેણીહથોડી સહેવી નથી તેનો આકાર શા માટે?
પડછાયો જોઈ હર્ષધેલા ન બની બેસતા જાવ,
જે નીકળી ગયા છે દૂર તેનો ભણકાર શા માટે?
પોતાના કહેવામાં જેને મજબૂરી આવી સામે,
માન્યા જેમણે દુશ્મન તેનો સહકાર શા માટે?
નીશીત જોશી 20.09.13
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો