શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

શા માટે?

sand_sculpture_masterpieces_640_21 જે આવવાના નથી તેનો ઇન્તજાર શા માટે? જે કંઈ કહેતા જ નથી તેનો આભાર શા માટે? આંસુઓ એ સુકાઈ ને આપી દીધો છે જવાબ, જેને હવે વહેવું જ નથી તેનો સત્કાર શા માટે? પથ્થર પણ સહન કરીને વેદનાઓ બને મુરત, છેણીહથોડી સહેવી નથી તેનો આકાર શા માટે? પડછાયો જોઈ હર્ષધેલા ન બની બેસતા જાવ, જે નીકળી ગયા છે દૂર તેનો ભણકાર શા માટે? પોતાના કહેવામાં જેને મજબૂરી આવી સામે, માન્યા જેમણે દુશ્મન તેનો સહકાર શા માટે? નીશીત જોશી 20.09.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો