સપનાને સાકાર કરવા, મારે કંઈ કહેવું છે,
ખોબામાં દરિયો ભરવા, મારે કંઈ કહેવું છે,
આમ તો કહું છું ઘણું સાભળે છે પણ ઘણા,
મહેબૂબ ને કાને ધરવા, મારે કંઈ કહેવું છે,
તણખલા નો છે વિશ્વાસ મુજને દરિયા માં,
જોડેજોડે દરિયો તરવા, મારે કંઈ કહેવું છે,
આવતો જન્મ જોયો કોણે તેની શી ખબર,
મળેલા જન્મે જ મળવા, મારે કંઈ કહેવું છે,
હિંમતે મર્દા તો મદદે ખુદા એ સાભળ્યું મેં,
કહેવતનો અમલ કરવા, મારે કંઈ કહેવું છે.
નીશીત જોશી
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013
મારે કંઈ કહેવું છે
સપનાને સાકાર કરવા, મારે કંઈ કહેવું છે,
ખોબામાં દરિયો ભરવા, મારે કંઈ કહેવું છે,
આમ તો કહું છું ઘણું સાભળે છે પણ ઘણા,
મહેબૂબ ને કાને ધરવા, મારે કંઈ કહેવું છે,
તણખલા નો છે વિશ્વાસ મુજને દરિયા માં,
જોડેજોડે દરિયો તરવા, મારે કંઈ કહેવું છે,
આવતો જન્મ જોયો કોણે તેની શી ખબર,
મળેલા જન્મે જ મળવા, મારે કંઈ કહેવું છે,
હિંમતે મર્દા તો મદદે ખુદા એ સાભળ્યું મેં,
કહેવતનો અમલ કરવા, મારે કંઈ કહેવું છે.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો