રવિવાર, 23 ઑક્ટોબર, 2011

જેનીતેની સંગ

કોઇનુ જોઇને ક્યારેય બળવુ નહી,
જેનીતેની સંગ અમસ્તા હળવુ નહી !

છે બધા જ અહીં સ્વાર્થમાંહી ડુબેલા,
જેનીતેની સંગ ક્યારેય ભળવુ નહી !

પીઠે છુરી મારનારાઓ છે ભરમાર,
જેનીતેની સંગ ક્યારેય મળવુ નહી !

વાતો કરાવીને ફોસલાવે છે ઘણા,
જેનીતેની વાતે ક્યારેય ચડવુ નહી !

ધરમની ડંફાશો કરી બને ધરમવીર,
આવા ધર્માત્માઓને કંઇ ધરવુ નહી !

પાપપુર્ણ્યના દાખલે દેખાડે છે ભય,
જેનીતેની ભયની વાતોથી ડરવુ નહી !

નીશીત જોશી 20.10.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો