સોમવાર, 31 ઑક્ટોબર, 2011

મનવા


જીવવુ છે તુજને જીવી જાજે મનવા,
ન દે દોષ કોઇને સુખી થાજે મનવા,

અપાર તોફાનોનો સમનો કરી જા જે,
ન ક્યારેય કોઇથી દુઃખી થાજે મનવા,

આવે જો આંગણે કોઇ દુશ્મન પણતો,
એ દોસ્તીના હાથને સાખી લેજે મનવા,

નહી કંઇ જાય સાથે આંખો બંધ થયેથી,
ખાલી હાથ જોઇ કંઇ શીખી જાજે મનવા,

કામ કરજે એવા કે નામ રહી જાય એવુ,
શેરીમાં પાળીયા બનીને પુજી જાજે મનવા.

નીશીત જોશી 30.10.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો