રવિવાર, 23 ઑક્ટોબર, 2011

ક્યાં સુધી

કોઇના નામને ક્યાં સુધી બાંધશો હવે,
કોઇના નામથી કોઇને કેમ હાંકશો હવે,

કરવા સમયે કર્યુ કંઇ નહી સ્મરણ કરી,
સમયના ધોડે ચડી કેમના ભાગશો હવે,

કહેવા માટેનુ બચ્યુ કંઇ નથી આમતો,
ઉધારની જુબાન કેટલાની માંગશો હવે,

જતો રહ્યો ભય મૃત્યુનો જાણીને સત્ય,
યમરાજને પુછો કઇ રીતથી મારશો હવે,

લગામ રાખી જીવતર જીવો આનંદથી,
લાશ ભાળીને લોકો માનશે જાગશો હવે.

નીશીત જોશી 21.10.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો