શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

મને તારી જ ચાહ છોડી બીજા કોની ચાહત હશે ?
શું તુ ત્યારેજ આવીશ જ્યારે કફનમા મારી લાશ હશે ?


ખબર નહી હવે ગણાય છે મૃત્યુની ઘળીઓ,
જીવન એમજ પસાર થઇ રહ્યુ, શું તુ નહી આવે ?
સ્વપ્નમા આવવુ ન આવવુ એક બરોબર છે,
વસંત નો માહ જઇ રહ્યો છે , શુ તુ નહી આવે ?
ક્યારેક વિચાર, ક્યારેક તો સમજ પપીહાના ઇશારાને,
એ ત્યારનો પિયુ પિયુ ગાઇ રહ્યો છે, શું તુ નહી આવે ?
અવાજ કોયલનો આવે છે , સમજુ હું તારો છે,
આ નિશિત મુદ્દતથી ઘોખો ખાય રહ્યો છે, શું તુ નહી આવે ?
♫♥નીશીત જોશી♫♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો