ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

અભાવ થી સ્વભાવ બદલાતા જોયા,
પોતાના ને પારકા થતા જોયા,
ભાઇ ભાઇ ના ઝગડાઓ જોયા,
પત્ની ના બદલાતા રુપ જોયા,
બાળકો ના બદલાયેલા બોલ જોયા,
મિત્રો ના બદલાતા મોહરા જોયા,
હંમેશા સાથે રહનારાના ફરતા મોઢા જોયા,
કામકરનારઓ ના ચડેલા મોઢા જોયા,
અભાવ જ છે આના મુળભત કારણ 'નીશીત',
જેનેથી માણસોએ બદલાતા સ્વભાવ જોયા...........
' નીશીત જોશી '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો