ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

તારા દર્શન કેમ થતા નથી,
મારા પર ઉપકાર કેમ થતો નથી,
કહ્યુ હેરાન હુ તોપણ છુ તો તારો,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી,
તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત,
આવો એકવાર મોકો કેમ થતો નથી,
લાખો પાપી ને તાર્યા છે તે,
મારો ઉધ્ધાર કેમ થતો નથી,
તારી મહેરબાની ના ચાર શબ્દોથી,
આ દાસ ‘નીશીત’ હકદાર કેમ થતો નથી.........

' નીશીત જોશી '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો