ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

લખુ શું હવે તારા વગર હું,
શબ્દો મને હવે ક્યા મળે છે,
તારા વગર એવા થયા હાલ મારા,
જેમ પાણી વગર ફુલ ક્યા ખીલે છે,
તુ છે તો આ જગત પોતાનુ લાગે,
નથી તુ સાથે તો દિલ ક્યા હસે છે,
એવા તે હાલ કર્યા તે ઓ બેદર્દ્,
શરાબી માટે પ્યાલો શરાબનો ભરેલો ક્યાં છે,
દિલ મા અંધારુ થયેલુ લાગે મને એવુ,
માની લીધુ કે શમા વગર અજવાળુ ક્યાં થાય છે.

'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો